Posted by: nehayjoshi on: October 13, 2008
મને ગદ્ધાવૈતરૂ ગમે છે.
એ મને –
વિચારોથી દૂર રાખે છે.
Posted by: nehayjoshi on: September 30, 2008
સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં હોય છે,
ને જાત ની સાથે કરેલાં છળ જેવાં હોય છે.
એક ભીડો ત્યાં અચાનક ધ્વાર બીજુ ઉઘડે
એ ભેદ ન ભંડારની કોઇ ક્ળ જેવાં હોય છે.
મૂળમાંથી કોતરાતા વ્રુક્શના પર્ણો ક હે છે,
“કોઇ સ્મરણો જીવવાના બળ જેવાં હોય છે.”
સમયના પોલાણમાં જે જોરથી ધરબી દીધી તી,
એ હ્ર્દયની કોઇ આળી પળ જેવાં હોય છે.
સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં હોય છે,
ને જાત ની સાથે કરેલાં છળ જેવાં હોય છે.
— નેહા
Posted by: nehayjoshi on: September 29, 2008
સારુ છે, મારા શ્બ્દો
તને વર્ણવી શક્વા સમર્થ નથી
એ બહાને હુ મારી અદર
તને ઘુટી શકુ છુ.
નેહા